શીરાની જેમ ગળે ઊતરી જાય એવી વાત

ભારતમાં સરકારનો વિરોધ કરતા કરતા વિરોધ પાર્ટીઓ હવે પ્રજાને "અદાણી" અને "અંબાણી"નો વિરોધ કરવા પ્રેરે છે કારણકે મઆ બંને પાર્ટીઓ ભારતના અર્થતંત્રને મજબૂત કરી રહી છે જે, વિદેશી કંપનીઓને ભારે પડી રહ્યું છે આપણી સ્વદેશી આ બંને કંપનીઓ જે પણ ધંધામાં પડ્યા તે ધંધાની અન્ય કંપનીઓની મોનોપોલી ખતમ કરી નાખી અને ભારતીય ગ્રાહકોને જબરજસ્ત ફાયદો જ કરાવ્યો છે. તેમ છતાંય નફો કરે છે. તો વિચારો અન્ય કંપનીઓ પહેલાં આપણા દેશ સાથે કેટલી લુંટ કરતી હશે..??

કેટલાનુ કમીશન સમાપ્ત થયું હશે અને નુકસાન થયું હશે આ બન્ને મહારથીઓથી ... ?

ઉદાહરણ

jio નહોતું ત્યારે આપણું બીલ કેટલું આવતું.?? કેટલી લુંટ ચાલતી હતી. અત્યારે દરેક કંપની મજબુર બની. વળી બ્રિટનની "વોડાફોન" તો સાવ પાયમાલ થઈ ગઈ હવે "અદાણી એગ્રો" એ ઝંપલાવ્યું છે તો વિરોધ ઉભા થાય છે.. અદાણી ગોડાઉન કેમ બનાવે છે..??

જ્યારે દેશમાં વિદેશી કંપનીઓ "પેપ્સીકો" , "વોલમાર્ટ " "HUL" "ITC"ના મોટા મોટા ગોડાઉન પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર મા બનાવતી ત્યારે કોઈ જ વાધો નહોતો.. તો "અદાણી " નો જ વિરોધ કેમ..??_

રિલાયન્સ રીટેઈલ " રિલાયન્સ ડિજીટલ " હવે આખા દેશમાં પ્રસરી રહ્યું છે..તો "એમેઝોન " ફ્લિપકાર્ડ " ને તકલીફ તો થવાની જ. સ્વદેશી " પતંજલિ " ના આવવાથી કોલગેટ " HUL (લક્સ, પોન્ડ્સ) જેવી એકહથ્થુ લુંટ કરવા વાળાને તકલીફ તો થઈ છે.

ચીન દુનિયાને હવે "5G" ટેકનોલોજી વેચે છે ભારતમાં પણ આવવું છે ત્યારે "Jio" એ પોતાની સ્વદેશી "5G" ટેકનોલોજી વિકસિત કરીને તકલીફ તો ઊભી કરી જ છે.

"અદાણી પોર્ટ" "અદાણી એન્ટરપ્રાઇઝ" ના લીધે ઘણાની મોનોપોલી ખતમ થઈ છે.

TATA , મહિન્દ્રા , વીપ્રો એ આખી દુનિયા નુ IT માર્કેટ કબ્જે કર્યું છે જેનો ગર્વ લેવો જોઈએ. ભારતીય કંપનીઓ હવેથી સ્વદેશી હથીયારો બનાવશે. સરકાર જરુરી પ્રોત્સાહન આપે છે તો આ દલાલો ના પેટમા તેલ રેડાયું છે અને બદનામ કરે છે. હવે જ્યારે આપણા દેશના ઉદ્યોગપતિઓ કાઈક કરી રહ્યા છે, દેશને ફાયદો અપાવી રહ્યા છે ત્યારે આપણા જ દેશના કેટલાક લોકો આમનો વિરોધ શું કામ કરે છે..???

જે વિદેશી કંપનીઓ કરોડો રુપિયા એડ્વટાઈજ માટે ખર્ચી શકતા હોય તો કરોડો રુપિયા નેતાઓને આપીને, મીડિયા ને આપીને આમની અફવાઓ ફેલાવી બદનામ કરવા ના ખર્ચી શકે..?? નહીંતર "અદાણી" "અંબાણી" કે પતંજલિ ક્યા આપણને જબરજસ્તી આપી દે છે કે લઈ લે છે.

હમજવા જેવો ઇ લોકો તો સ્વાર્થી ખેલ સમજો 

સૌથી પહેલાં "રફાલ" સોદો અટકાવા વિદેશી કંપનીઓએ "રાહુલગાધી" ને તૈયાર કરેલો. અફવાઓ ફેલાવેલી વિદેશી અખબારોમાં પૈસા આપી જુઠ્ઠા સમાચારો પ્રકાશિત કરેલા કેટલાક દેશી અખબારોને પણ લાખો ખવાડેવેલા.

છેલ્લે જુઠ્ઠાણું ફેલાવવા બદલ રાહુલગાધીએ કોર્ટમાં માફી પણ માગી. ભલે એ અખબારોએ ના છાપ્યું હોય. પછી "અદાણી " અંબાણીનો વિરોધ "શાહીનબાગ " માં શરુ થયો .. વિચારો "CAA"માં આમને શું લેવા દેવા..?? અત્યારે પંજાબના ખેડૂત નેતા આમનો વિરોધ કરે છે.. અદાણી એ ગોડાઉન કેમ બનાવ્યા ..??? હવે જમીન હડપી લેશે.. વગેરે વગેરે.

પંજાબમાં વર્ષોથી દેશી, વિદેશી કંપનીઓના મસ મોટા ગોડાઉન છે ત્યાં કાઈ વાંધો નથી.. હવે આ લોકો બનાવે તો કહે છે સંગ્રહ કરશે, મોંઘવારી વધશે. હકીકતમાં આમના આવવાથી અને મોટા મોટા ગોડાઉન બનાવીને સંગ્રહ કરવાથી લાખો ટન જે અનાજ, શાકભાજી, ફળો બગડી જતા એ હવે સ્ટોરેજ થશે. તકલીફ એ છે હવે મોંઘવારી કાબુમાં રહશે અને વચેટિયાઓની મલાઈમાં ફટકો પડશે.

મોંઘવારી તો વર્ષોથી વધતી રહી છે હવે શું કામ અફવાઓ ફેલાવો છો? ટુંકમાં "અદાણી " અને "અંબાણી " થી કેટલાક વિદેશી એજન્ટો ને તકલીફ છે. સાંભળ્યું છે કે "અદાણી" અંબાણી" TATA " મહિન્દ્રા જેવા ઉદ્યોગપતિઓ એ છેલ્લા સાત વર્ષ થી દેશની "ગદ્દાર" પાર્ટીઓ ને ચુંટણી ફંડ આપવાનું બંધ કર્યું છે..

કદાચ એનો બદલો પણ હોય શકે છે. અને કેટલાક ફક્ત ને ફક્ત મોદીવિરોધમાં આ અફવાઓ જાણ્યા જોયા વગર ફેલાવે રાખે છે અને પોતાનાજ પગ ઉપર કુહાડો મારે છે.રાષ્ટ્રદ્રોહી અને ગદ્દારોને હવે ભારતીય પ્રજા જાણી ગઈ છે.

Ajendra Variya

Hi, This Is Ajendara Variya men behind The Total Gaming Youtube Channel With 38M Subscribers. Welcome To My Website. Here I share About Gaming.

Post a Comment

Previous Post Next Post
Join On WhatsApp;!