ખાલી પેટ આ પાંદડા ચાવવાથી માથાની ચોટીથી લઈ પગની એડી સુધીની બીમારીઓ થઈ જશે દૂર

Advertisement

Chew 10 leaves on an Empty Stomach: ખરેખર, આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટી ઔષધિ, વૃક્ષ અને છોડના પાંદડામાથી બનાવવામાં આવે છે અને એમાં થાય છે, એવું કે પાંદડા માથી નીકળવા વાળો અર્ક તરત બ્લડમાં સર્ક્યુલેટ થઈ જાય છે અને રોગોમાં ઝડપથી રાહત મળે છે. આજે અમે તમને 10 પાંદડાઓ વિશે જણાવીશું કે જે તમારી આજુબાજુ માથી જ મળી રહે છે અને તેણે ખાલી પેટે ખાવાથી ઘણી બીમારીથી છૂટકારો મળી શકે છે. આ પાંદડાઓ વિશે જાણવા માટે તમે આ લેખને અંત સુધી જરૂર વાચી જુઓ અને તેનો પ્રયોગ પણ કરી જુઓ.

ખાલી પેટે ચાવવાના 10 પાંદડા Chew 10 leaves on an Empty Stomach

તુલસીના પાંદડા (Basil leaves benefits): તુલસીનો ઉપયોગ પેટમાં એઠન, શરદી, આંતરડાની સમસ્યા અને એસીડીટીને દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ ખાલી પેટે તુલસીના પાંદડા ચાવવાથી તમને ઘણા લાભો થાય છે. તુલસીના પાંદડામાં એન્ટિ-વાયરલ ગુણ હોય છે, જે મૌસમી રોગોને રોકવાનું કામ કરે છે. સાથે જ, આમાં રહેલ એન્ટિ ઇફ્લેમેટરી ગુણ શરીરમાં રહેલ સોજાને દૂર કરે છે. ઉપરાંત સાંધાના દુખાવાને ઓછો કરવામાં પણ તુલસીના પાંદડા મદદ કરે છે. આ સિવાય આમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે શ્વસન રોગ, મૂત્ર રોગ, પેટ અને ચેપથી લડવામાં મદદ કરે છે. સાથે જ, તુલસીના 4 પાંદડા ખાવાથી તે ઇમ્યુનિટીને વધારે છે.

લીમડાના પાંદડા (Neem leaves benefits) : લીમડાના પાંદડામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ એલર્જીક ગુણ હોય છે. દરરોજ આનું સેવન કરવામાં આવે તો, પેટમાં જંતુઓ થતાં નથી. સાથે જ જે લોકોને ફોડલા-ખીલ નીકળે છે, તેમના માટે લીમડાના પાંદડા રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. આ પાંદડા લોહીને પણ સાફ કરે છે અને ત્વચાને અંદરથી સુંદર બનાવે છે. સાથે જ, લીમડાના પાંદડાને સવારે ખાલી પેટે ચાવવાથી બ્લડ વેસેલ્સ હેલ્દી રહે છે અને તમને હદયની બીમારી થતી નથી તાવ, ડાયાબિટીસ, પેઢાની બીમારી અને લીવરની સમસ્યાઓથી પણ બચાવે છે.

મીઠો લીમડો (Curry leaves benefits) : મીઠા લીમડાના પાંદડાને ચાવવાથી સૌથી વધારે ફાયદો ડાયાબિટીસના રોગીને થાય છે. ખરેખર, તે શરીરમાં ખાંડ ઘટાડે છે અને સ્વાદુપિંડને સ્વસ્થ રાખીને ઇન્સ્યુલીનના ઉત્પાદનમાં મદદ કરે છે. આ કબજિયાત અને ડાયરીયાને ઠીક કરવામાં મદદ કરે છે. આ મીઠા લીમડાને તમે પ્રેગ્નેસી દરમિયાન સિકનેસને ઓછી કરવા માટે ઉપયોગ કરી શકો છો. આ સાથે સવારે દરરોજ મીઠા લીમડાના પાંદડાને ચાવવાથી તમારો મૂડ સારો રહે છે, વજન સંતુલિત રહે છે, કોલેસ્ટ્રોલ ઓછું રહે છે અને સ્કીન અને વાળને હેલ્દી બનાવવા માટે મદદ કરે છે.

ફૂદીના ના પાંદડા (Mint leaves benefits) : ફુદીનાના પાંદડાનો લોકો, અનેક રીતે ઉપયોગ કરે છે. ફુદીનાના પાંદડા ચાવવાનો સૌથી મોટો એ ફાયદો છે કે, તે મોં અને શ્વાસ માથી આવતી દુર્ગંધને દૂર કરે છે. ફુદીનાના પાંદડામાં એન્ટિએસિડિક ગુણ હોય છે એટલે કે એસીડીટીને ઓછી કરે છે. તેથી જે લોકોને એસીડીટીની કે ગેસની સમસ્યા રહે છે, તે લોકોએ ફુદીનાનું સેવન જરૂર કરવું જોઇએ. સાથે જ, ફૂદીનો પેટની પીએચ સારી કરે છે અને મેટબોલીજ્મ ઠીક કરે છે. જો ફુદીનાને સવારે ચાવવામાં આવે તો, મૂડ ફ્રેશ રહે છે અને આ મૌસમી એલર્જી, અસ્થમા અને શરદીને ઓછી કરવામાં મદદ કરે છે.

અજમાના પાંદડા (Ajwain leaves benefits) : જો તમને સખત પેટમાં દુખાવો થઈ રહ્યો છે અથવા ભોજન પછી એસીડીટી થાય છે, તો તમારે અજમાના પાંદડાનું સેવન કરવું જોઇયે. ખરેખર અજમાના પાંદડામાં એન્ટિબેક્ટેરિયલ અને એંટીફંગલગુણ હોય છે, જેને ચાવીને ખાવાથી ઇન્ફેકશનને ઓછું કરવામાં મદદ મળે છે. સાથે જ શરદીમાં આના પાંદડાને મધની સાથે ખાવાથી શરદીમાંથી મુક્તિ મળે છે. આ સિવાય થાઈરોઈડને દૂર કરે છે અને સોજાને દૂર કરવા માટે અજમાના પાંદડાનું સેવન કરી શકો છો.

જાંબુના પાંદડા (Jamun leaves benefits) : જાંબુના પાંદડાનું સેવન કરીને તમે શુગરને ઓછું કરી શકો છો. ખરેખર, આના પાંદડાનો અર્ક ઇન્સુલિનના પ્રોડક્શનને વધારવાનું કામ કરે છે. આનાથી શુગર ઝડપથી પચે છે અને ડાયાબિટીસમાં ખુબજ લાભકારી છે. સાથે જ મોં માં ચાંદા પડી ગયા હોય, તો જાંબુના પાંદડાને ચાવવાથી માઉથ ઇન્ફેકશનને ઓછું કરી શકાય છે. આ સિવાય અપચો અને નબળા પાચનતંત્રને મજબૂત બનાવવા માટે જાંબુના પાંદડા મદદ કરે છે.

નાગરવેલના પાંદડા (Benefits of Betel Leaves) : નાગરવેલના પાનના પાંદડામાં એન્ટિ ડાયબીટીક ગુણ હોય છે. સાથે જ આ હાઇ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. પાનના પાંદડા માંઉથ ફ્રેશનરની જેમ કામ કરે છે અને મોં ને સાફ રાખે છે. જે લોકોને મૂડ સ્વિંગ્સ થાય છે, તે લોકો માટે પણ લાભકારી છે. આ ડિપ્રેશનને ઓછું કરવામાં મદદ કરે છે.

કોથમીર (Dhania leaves benefits) : કોથમીર બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે. આ એવા એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર છે, જે ઇમ્યુનિટીને વધારે છે. સાથે જ કોથમીરના પાંદડા કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. આ હૃદયને સ્વસ્થ રાખે છે. આ સિવાય આ વેટલોસ કરવામાં મદદ કરે છે, કારણ કે તે બોવેલ મુવમેંટને તેજ કરે છે અને ફેટ પચાવવામાં મદદ કરે છે.

જિંકાગો (Gingko leaves benefits) : જિંકાગો લિફ એક્સ્ટ્રેક્સનો ઉપયોગ અસ્થમા, બ્રોકઈટિસ, થાકોડો અને ટિનીટસ જેવી વિભિન્ન સ્થિતિના ઈલાજ માટે કરવામાં આવે છે. આના ઉપયોગથી સ્મૃતિમાં સુધાર અને મેમરી લોસ જેવા અન્ય મસ્તિષ્ક વિકારને રોકવા માટે કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે, આનો વધુ ઉપયોગ કરવાથી બચો, કારણ કે નહીં તો તે નુકશાનકારક પણ થઈ શકે છે.

વરિયાળીના પાંદડા (Fennel leaves benefits) : વરિયાળીના પાંદડા પિતને ઠીક કરે છે. આ ભૂખને વધારે છે અને ભોજનને પચાવે છે. સાથે જ મૂડને ફ્રેશ રાખે છે. આ હૃદય, મસ્તિષ્ક અને શરીર માટે ઘણી રીતે ફાયદો કરે છે. ગાંઠ વગેરે વાત રોગોને ઓછા કરે છે અને અપચો અને કબજિયાતની સમસ્યામાં પણ લાભકારી છે.

આ રીતે તમે આ 10 પાંદડાઓનો ઉપયોગ ખાલી પેટે કરીને તમામ લાભોને મેળવી શકો છો અને ઘણા રોગોથી મુક્તિ મેળવી શકો છો. સાથે જ, તમે આ પાંદડાનો ઉપયોગ તમે ચા બનાવતી વખતે પણ કરી શકો છો અથવા ઊકાળામાં પણ આ પાંદડાને નાખી શકો છો. આ સિવાય ભોજન બનાવતા સમયે પણ તમે આ પાંદડાનો ઉપયોગ કરી શકો છો.

Post a Comment

Previous Post Next Post
WhatsApp ગ્રૂપમાં જોડાવો!